શ્રી આશાપુરા માતાજી રજતજયંતિ વર્ષ પાટોત્સવ મહોત્સવ
1 year ago
જય આશાપુરા માતાજી
જય સોમનાથ મહાદેવ
જય વિશ્વકર્મા ભગવ
સોમપુરા કેળવણી કેન્દ્ર ના પ્રાંગણમાં બિરાજેલ માં આશાપુરા મંદિર રજત જયંતિ મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ભવ્યાતી ભવ્ય રીતે સમગ્ર જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવ્યો.
સમગ્ર સંકુલને છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી નવીનીકરણની કામગીરીના બાદ સમગ્ર સંકુલ જળહળી ઉઠ્યું હતું અને આ પ્રસંગને દિપાવવા જ્ઞાતિના બહેનો દ્વારા સુંદર સુશોભન કાર્ય ફૂલો થી સજાવટ, રંગોળી દીવાઓ, તથા જ્ઞાતિની દીકરીઓને નવદુર્ગા બનાવી તેમનું પૂજન કરવામાં આવ્યું. જે થી ભવિષ્યમાં નાનપણથી જ બાળકો સંસ્થા તેમજ મંદિર સાથે સંસ્કાર ભાવથી જોડાય.
આપણી જ્ઞાતિના પાંચ યજમાનો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞમાં બેસવાનો લાભ લેવામાં આવ્યો.
વડીલ વંદના કાર્યક્રમ દ્વારા વડીલોને પસંદ આવે તેવા ગીત સંગીત તેમજ વડીલો દ્વારા પોતાની કલાની તેમજ મોજ રજૂ કરવાનો અનોખા કાર્યક્રમ ની કરી બાળકો યુવાનો, જ્ઞાતિની બહેનો તથા વડીલો માટેના આ આખા દિવસના કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં સમાજના સભ્યોએ માણ્યો.
આ પાવન પ્રસંગે પધારેલ સૌ જ્ઞાતિજનો તથા ફોન તથા સંદેશા દ્વારા શુભકામના આપનાર સર્વે સમાજના સભ્યોનો હૃદય પૂર્વક આભાર. 🙏
અતુલકુમાર એન. સોમપુરા
પ્રમુખશ્રી
સોમપુરા કેળવણી કેન્દ્ર અમદાવાદ